![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/લાખણીમાં-કન્યા-કેળવણી-માટે-hed.jpg)
લાખણીમાં કન્યા કેળવણી માટે એક કરોડની જમીનનું માતબર દાન
જાગીરદાર- દરબાર સમાજની દીકરીઓ માટે લાખણીમાં કન્યા છાત્રાલય બનશે: લાખણી ખાતે જાગીરદાર દરબાર સમાજ દ્વારા કન્યા કેળવણી માટે લાખણી ખાતે રહેવા કન્યા છાત્રાલય નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંગે લાખણી ખાતે સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં લાખણી ગામના ત્રણ ભાઈઓ ધુડસિંહ વાઘેલા, બાદરસિંહ વાઘેલા અને મઘજી વાઘેલાએ પોતાની જમીનમાંથી સવા એકર જમીન અંદાજે રૂપિયા 1 કરોડની કિંમતની જમીનનું દાન કરવાની જાહેરાત કરી હતી.
લાખણી ખાતે જાગીરદાર દરબાર સમાજ દ્વારા કન્યા કેળવણી માટેની બેઠક મળી હતી. જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લાખણી ખાતે આગામી સમયમાં જાગીરદાર દરબાર સમાજની દીકરીઓનાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા ઉત્તમ સુવિધા સભર એક સ્થળે રહી અભ્યાસ કરી શકે તે માટે કન્યા છાત્રાલય નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની લાખણી ખાતે સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં લાખણી ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લાખણી ગામના જાગીરદાર સમાજના ત્રણ ભાઈઓ ધુડસિંહ વાઘેલા, બાદરસિંહ વાઘેલા અને મઘજી વાઘેલાએ પોતાની જમીનમાંથી સવા એકર જમીન જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ રૂપિયા જેટલી થાય છે. તે કન્યા કેળવણી માટે દાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે સમાજના અગ્રણીઓએ દાતાઓનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.