![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/સાંતલપુર-રેલવે-સ્ટેશન-હેડ.jpg)
સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠાની રેકો ભરતાં મજુરો એ સરકારના આદેશ મુજબ બપોરે 12 થી 4 મજુરી કામ બંધ રાખ્યું
ગરમી ને ધ્યાનમાં રાખીને સરકાર ના આદેશ નું રેલવે વિભાગ અને પોલીસ વિભાગે ચુસ્ત પાલન કરાવ્યું:પાટણ ના સાંતલપુર રેલવે સ્ટેશન ખાતે ગરમીના કારણે મીઠાની રેંકો બપોરે 12:00 થી 4:00 વાગ્યા સુધી ના સમય દરમ્યાન ન ભરવાના સરકાર ના આદેશને અમલમાં મુકવા રવિવારે રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન આપી સરકાર ના આદેશ નું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવ્યું હતું.
સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેનકો ભરવાની કામગીરી કરતાં મજુરોને બપોરે 12 વાગ્યા થી 4 વાગ્યા સુધી મીઠા ની રેન્કો ભરવાની કામગીરી બંધ રાખવાનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવ્યો હતો. પાટણ ના સાંતલપુર ખાતે મોટા પાયા પર મીઠા ઉદ્યોગ આવેલો છે. આવા ઉધોગો ની જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે અને સાતલપુર થી દેશ વિદેશમાં મીઠું સપ્લાય કરવામાં આવે છે.
હાલમાં ગરમી ના પ્રકોપથી 45 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે ત્યારે આવી ગરમીમાં સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેન્કો ભરવાની કામગીરી કરતાં મજુરો ને બપોરે 12 થી 4 ના સમય દરમ્યાન રેન્કો ન ભરવા સરકાર દ્વારા કરાયેલા આદેશ અનુસાર અને ગરમીના કારણે મજુર વગૅ ના લોકોના મોત નિપજી શકે તેમ હોય જેને ધ્યાનમાં રાખીને રવિવારે રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેન્કો ભરતાં મજુરો પાસે બપોરે 12 થી 4 સુધી કામ ન કરાવવા અને સરકાર ના આદેશ નું ચુસ્ત પાલન કરવા સુચના સાથે માગૅદશૅન અપાતા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ સરકારના આદેશનું પાલન કરી ગરમીની અંદર મીઠા ની રેંન્કો ભરવાની કામગીરી બપોર ના સમયે બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.