ગુજરાત બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પાસ થવાની મોટી તક

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પુરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે. 

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ ના બોર્ડની પુરક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. જેમાં 24 જૂનથી ધોરણ.10 અને 12ની પૂરક પરીક્ષાઓ શરૂ થશે. જ્યારે ધોરણ.12ના તમામ પ્રવાહોની પૂરક પરીક્ષા પણ 24 જૂન થી શરૂ થશે. હવે વિષયવાર પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા ટુંક સમયમાં જાહેર કરાશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ.10 અને 12માની પરીક્ષામાં નાપાસ થયા છે તેમના માટે ખુબ જ ખુશીના સમાચાર મળ્યા છે.  ધોરણ 10ની પૂરક પરીક્ષામાં 32 હજાર 740 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જ્યારે ધોરણ.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં 25,628 ફોર્મ ભરાયા હતા. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 8,447 ફોર્મ ભરાયા હતા. આમ કુલ 67,115 વિદ્યાર્થીઓએ ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આપશે. ધોરણ 10માં 3 અને ધોરણ 12માં 2 વિષયની પૂરક પરીક્ષા લેવાશે. વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાશે.

પૂરક પરીક્ષા 2024માં છૂટછાટની વાત કરીએ તો દરેક વિષયમાં ઓછામાં ઓછા 20% માર્કસ હોવા જોઈએ. તમે જે સ્કૂલમાં અથવા તમે જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરો છો તે સંસ્થા દ્વારા અથવા સ્કૂલ દ્વારા તમને પૂરક પરીક્ષા વિશે અગત્યની અને મહત્વપૂર્ણ માહિતીઓ આપી શકશે. ગુજરાત બોર્ડની ધોરણ. 10 માની પુરક પરીક્ષા એક બે અથવા ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે પણ વિદ્યાર્થી મિત્રો અમુક વિષયોમાં નાપાસ થયા છે તે વિષયોમાં ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.