ડીસા થી દ્વારકા જવા નવી બસ શરૂ કરવામાં આવતા ભાવિકો ભક્તોમાં ખુશી નો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા થી દ્વારકા જવા સીધી બસ સેવા શરૂ થતા વર્ષોની માંગ સંતોષાઈ: ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા પણ એસ ટી બસો ના નવા અનેક રૂઢો શરૂ થયા હતા છે ત્યારે મહેસાણા ડીવિઝન ના હાજરી ડેપો દ્વારા બટાટા નગરી ડીસા થી યાત્રાધામ દ્વારકા ને જોડતો નવો રૂઢ શરૂ કરવામા આવતા ધર્મપ્રેમી જનતા માં આનંદ છવાયો છે.

ડીસા થી દ્વારકા જવા માટે કોઈ સીધી બસની સેવા ન હતી જેના કારણે અનેક ભાવિક ભક્તો અને ધર્મ પ્રેમી જનતાને દ્વારકા જવા માટે અલગ અલગ રૂઢો પર થી જવું પડતું હતું જેને લઇ એસટી વિભાગમાં અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી આ અંગે ડીસા તાલુકાના વડાવલ ગામ ના નરેન્દ્રસિહ ઝાલા એ પણ સૌરાષ્ટ્ર કાઠીયાવાડ ને જોડતી બસ શરૂ થાય તે માટે લેખિત રજૂઆત પણ કરી હતી ત્યારે હારીજ ડેપો દ્વારા ડીસા થી દ્વારકા નવો રૂઢ શરૂ કરાતા વર્ષોની માંગ સંતોષાઇ છે.

આ બાબતે ડીસા એસ.ટી ડેપો ના ટીસી રમેશભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે  23 મેથી શરૂ થયેલી આ બસ બપોરે ૨,૦૦ કલાકે ઉપડશે ડીસા થી દ્વારકા વાયા પાટણ હારીજ સમી શંખેશ્વર માણવણ ચોકડી ધાંગધ્રા મોરબી જામનગર ખંભાળીયા દ્વારાકા સવારે ૩,૦૦ કલાકે પહોંચશે જ્યારે દ્વારકા થી આ બસ બપોરે ૪,૦૦ કલાકે ઉપડશે જે વાયા જામનગર મોરબી ધાંગધ્રા માણવણ ચોકડી શંખેશ્વર સમી હારીજ પાટણ થઇ ડીસા સવારે ૫,૦૦ કલાકે આવશે જેથી મુશાફર જનતા ને આ બસનો લાભ લેવા એસ.ટી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.