‘તમે હજારોની સેના ઉભી કરી નાખો, હું એકલી લડીશ! કેમ કે મારી સાથે વાસ્તવિકતા છે : સ્વાતિ માલીવાલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે બુધવારે (22 મે) ના રોજ ટ્વિટ કર્યું કે તેમને મંગળવારે (21 મે) ના રોજ એક વરિષ્ઠ AAP નેતાનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે કેવી રીતે પાર્ટીમાં દરેક વ્યક્તિ પર સ્વાતિ વિરુદ્ધ ખરાબ વાતો ફેલાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

AAP રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે બુધવારે (22 મે) ના રોજ તેના ટ્વિટર હેન્ડલ ‘X’ પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે તેમને બદનામ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેના એક્સ હેંડલ પર પોસ્ટ કરટા સ્વાતિ માલીવાલે જણાવ્યું કે મંગળવારે તેમને પાર્ટીના મોટા નેતાનો ફોન આવ્યો અને જણાવ્યું કે કેવી પાર્ટીમાં દરેક વ્યક્તિ પર સ્વાતિ વિરુદ્ધ ખરાબ વાતો ફેલાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેના અંગત ફોટા લીક કરવા જોઈએ જેથી સ્વાતિ માલીવાલ બરબાદ થઈ જાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.