ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલ બોલ્યા બાદ માંગી માફી

ગુજરાત
ગુજરાત

ગુજરાતી કથાકાર પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથામં સીમરધામના રાજુબાપુ મહારાજના બગડ્યા બોલ, કોળી-ઠાકોર સમાજ વિષે બોલતા સમાજમાં રોષ છવાયો, પોલીસ ફરિયાદ થતા મહારાજે માફી માંગી હતી.

સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનો બાદ હવે એક કથાકારના બોલ બગડ્યા છે. ગીર સોમનાથના ઉનામાં કથા દરમિયાન કથાકારના વિવાદિત બોલ થતા ઠાકોર સમાજની લાગણીઓ દુભાઈ હતી. સીમરધામમાં રાજુબાપુની કથા ચાલી રહી હતી ત્યારે પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે મહારાજના બોલ બગડ્યા હતા. ચોક્કસ સમાજના યુવાન સાથે લગ્ન કરવા પર કથાકારે વાણી વિલાસ કર્યો હતો. જેથી કથાકારના નિવેદન સામે સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. વિરોધ થતા રાજુબાપુએ બાદમાં માફી માંગતો વીડિયો રજૂ કર્યો હતો.

વ્યાસપીઠ પરથી અશોભનીય ઉચ્ચારણ કરનાર કથાકાર રાજુબાપુ સામે કોળી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. કથાકારને નવાબંદર પોલીસ સ્ટેશને લાવવામાં આવતા કોળી સમાજના યુવાનો પણ પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતા અને બનાવની જાણ ઉચ્ચ અધિકારીને થતાં ડીવાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો.

કથાકારને 27મીએ હાજર રહેવા નોટિસ: નવાબંદર મરીન પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. જાદવે કહ્યું હતું કે, કથાકાર રાજુબાપુ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે અને મોડી રાત્રે તેમને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. હવે તા. 27મીએ પોલીસ સ્ટેશન પર હાજર થવા નોટિસ આપી છે, ત્યારે તેમની અટક કરાશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.