![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ઉનાળો-આવે-એટલે-કેરીની-શરૂઆત-હેડ.jpg)
ઉનાળો આવે એટલે કેરીની શરૂઆત : વરસાદ મોડો પડશે તો હજુ પણ કેરીના ભાવ વધે તેવી શક્યતા
ઉનાળો આવે એટલે કેરીની શરૂઆત થઇ જાય છે. કેરી ફળોનો રાજા કહેવાય છે. કેરી સૌ કોઇને પસંદ હોય છે. કેરીની સીઝનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. જો વરસાદ મોડો પડશે તો હજુ પણ કેરીના ભાવ વધે તેવી શક્યતા છે : કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેરીનો ભાવ 800થી 1500 સુધી બોલાઈ રહ્યો છે. આ સાથે કેરીનો પાક 50થી 60 ટકા થયો હોવાથી કેરીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે પણ આ સાથે કેરીના રસીયાઓને કેરી ખાવી મોંઘી પડી શકે છે.
જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેરીના બોક્સની આવક 12 હજારથી વધુ નોંધાઇ છે,અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે, ત્યારે જો વરસાદ મોડો પડશે તો હજુ પણ કેરીના ભાવ વધે તેવી શક્યતા વર્તાઇ રહી છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી હોવાથી માર્કેટયાર્ડમાં ખેડૂતોનો ધસારો પણ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ આ વખતે કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેરીનો ભાવ 800થી 1500 સુધી બોલાઈ રહ્યો છે. આ સાથે કેરીનો પાક 50થી 60 ટકા થયો હોવાથી કેરીના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે પણ આ સાથે કેરીના રસીયાઓને કેરી ખાવી મોંઘી પડી શકે છે.
ત્યારે કેસર કેરીના ભાવ આ વર્ષે વધારો જોવા મળે છે જેમાં 5 કિલો કેસર કેરીનો ભાવ 500થી 700 રુપિયા તો 10 કિલોનો ભાવ 1500 સુધી પહોંચી ગયો છે. આ સાથે કેસર કેરીનું ઉત્પાદન પણ આ વર્ષે 40 ટકા જેટલુ થયું છે. ત્યારે કેરી માટે કેસર કેરી મોંઘી પડી રહી છે.
અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે દક્ષિણ ગુજરાત, વડોદરા, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી કેરીના પાક પર જોખમની શક્યતા હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બંને સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ લાવશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેરીનો પાક દેશ-વિદેશમાં નિકાસ થાય છે ત્યારે ગુજરાતમાં પણ કેરીના રસિયાઓ કેરીની આવકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થઈ શકે છે.