અખાત્રીજનાં શુભ દિવસે ખેડૂતો એ પરંપરાગત રીતે કર્યું પૂજન આધુનિક યુગ મા પણ ખેડૂત પરિવારો એ જાળવી રાખી પરંપરા
આખત્રીજ ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે. વર્ષો જૂની પરંપરા પ્રમાણે ખેડૂતો ખેત ઓજાર નું પૂજન કરી ખેડ ની શરૂઆત કરતા હોય છે.જો કે આજનાં આધુનિક યુગ મા હવે આ પરંપરા વિસરાઈ રહી છે. જો ક્યાંક ક્યાંક ખેડૂત પરિવારો એ પરંપરા જાળવી પણ રાખી છે.
ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે રહેતા ખેડૂત પરિવાર એ જૂના રિવાજ પ્રમાણે આખાત્રીજ નાં દિવસે ખેડ કરી શુભ મુહર્ત કર્યું છે. આજ નો દિવસ ખેતીના નૂતન વર્ષ સમાન ગણવામાં આવે છે અખાત્રીજના દિવસે વહેલી પરોઢે ખેડૂત પરિવારના વડીલ સભ્ય દ્વારા હળ જોડી ખેતીકાર્યનું મૂહૂર્ત કાર્ય કરતા હોય છે.ભૂતકાળ માં ખેડૂતોનાં મિત્ર તરીકે બળદની જોડને માનવામાં આવે છે.જોકે હવે બળદની જગ્યા ટ્રેકટરો એ લઈ લીધી છે.આજે પણ અનેક પરિવારો કે જેમાં વડીલો એ આપેલા સંસ્કાર અને સીખ પ્રમાણે આખત્રીજ નાં તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે. થાવર ગામ ખાતે રહેતા કરશનભાઈ ના પરિવારે શુભ દિવસે બળદ ની જોડી નો સંણગાર કરી તેમના પૂજન સાથે હલોત્રો કરી મુહર્ત કર્યું હતું
ખેડૂતો ધરતી માતા અને ઇન્દ્ર દેવ ને પ્રાથના કરતા હોય છે કે સારા વરસાદ સાથે વધુ અનાજ પાકે આ વર્ષ ખેતી અને પશુપંખી માટે સારું નીવડે તેવી પ્રાર્થના કરવામાં આવતી હોય છે. આજના દિવસે ખેડૂત પરિવારે હર્ષભેર પૂજા અર્ચના કરી મૂહૂર્ત કર્યું હતું. જેમાં બળદની જોડના પૂજન સાથે તેને પુખવામાં આવ્યા હતા. અને અરસપરસ ગોળ ખાઈ આજ ના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ખેડૂત ને જગત નો તાત કેહવામા આવે છે.જો કે આજ નાં આધુનિક યુગ મા પણ વડીલો એ આપેલા સંસ્કાર અને પરંપરા ભૂલવી નાં જોવે જે પ્રમાણે થાવર ગામના ખેડૂત પરિવાર અને વિધિવત રીતે પૂજન કર્યું એજ રીતે તમામ ખેડૂત પરિવારો એ આખાત્રીજનાં દિવસે ધરતી માતા અને ઇન્દ્ર ભગવાન નું પૂજન કરવુ જરૂરી છે.