પાલનપુરમાં ભગવાન શ્રીપરશુરામજીનો જન્મોત્સવની ઉજવણી
પાતાળેશ્વર મહાદેવજીના મંદિરે વિશ્વશાંતિ માટે યજ્ઞ બાદ બપોરે શોભાયાત્રા યોજાઇ: બનાસકાંઠા જીલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે ભગવાન શ્રી પરશુરામજીની જન્મ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમા સવારે હવન અને બપોરબાદ શોભાયાત્રા યોજાઇ હતી. પાલનપુરમાં પરશુરામ પરિવાર દ્વારા આરતી, પુજા અર્ચના તેમજ પાતાળેશ્વર મહાદેવજીના મંદિરે વિશ્વશાંતિ માટે યજ્ઞ યોજવામાં આવ્યો હતો.
પાલનપુરમાં ભગવાન પરશુરામ જીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરશુરામ પરિવાર દ્વારા કાર્યાલય ખાતે સવારે 9.00 કલાકે પરશુરામ દાદાની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. 11.00 કલાકે પાતળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ શાંતિ અર્થે પરશુરામ પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. જ્યારે બપોર બાદ યુવા બ્રહ્મ સેના દ્વારા વિશાળ બાઈક રેલી જે પાતાળેશ્વર મહાદેવ મંદિર થી નીકળી દિલ્હી ગેટ, સિમલા ગેટ, સિટીલાઈટ, ગુરુનાનક ચોક, જીલ્લા પંચાયત, એરોમા સર્કલ, હનુમાન ટેકરી થઈ ન્યુ પાલનપુર સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સાંજે 6.30 કલાકે આરાધ્ય દેવ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે રેલીની પૂર્ણાહુતિ પ્રસંગે દાદાની મહાઆરતી અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા.