રાંચીમાં ED દ્વારા મોટી કાર્યવાહી, મંત્રીના નોકરના ઘરેથી મળી 20 કરોડ રૂપિયાની રોકડ

Business
Business

EDએ સોમવારે (6 મે) સવારથી ઝારખંડની રાજધાની રાંચીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. જે બાદ વીરેન્દ્ર રામ કેસમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી CASનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અત્યાર સુધીમાં રૂ. 20 કરોડથી વધુની ગણતરી થઈ ચૂકી છે. અધિકારીઓએ જણાવ્યું કે નોટોની ગણતરી હજુ ચાલુ છે.

EDની આ કાર્યવાહી સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામના કેસને લઈને કરવામાં આવી રહી છે. આ મામલે નજીકના સંબંધીઓના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પીએમએલએ હેઠળ સવારથી લગભગ અડધો ડઝન સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે

https://twitter.com/ANI/status/1787329154125308319


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.