જોધપુરથી સાબરમતી જતી ટ્રેનમાંથી અચાનક પડી ગયેલા પેસેન્જરનું મોત
લક્ષ્મીપુરાની હદમાં બનેલ બનાવ મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી: જોધપુરથી સાબરમતી તરફ જતી એકક્ષપ્રેસ ટ્રેનમાં બેસી સાબરમતી સુધીની મુસાફરી દરમ્યાન જેનાલ અને ઓઢવા રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલ લક્ષ્મીપુરા ગામ સીમની હદમાં એક પેસેન્જર ચૈતનસિંહ કાળુસિંહ રાવણા રાજપુત (ઉ.વ.૩૩ ધંધો વેપાર રહે.જુના પોલીસ સ્ટેશન પાછળ ભીનમાલ તા.ભીનમાલ જિ. જાલોર) ટ્રેનમાં મુસાફરી દરમ્યાન આકસ્મિત રીતે પડી જવાથી માથાની પાછળની ખોપરી ફુટી જવાથી લોહી વહી જતાં મોત નીપજ્યું હતું.જેની જાણ આગથળા તથા ભીલડી રેલ્વે પોલીસને જાણ થતા આગથળા પી.એસ.આઇ. જાડેજા સ્ટાફ સાથે ઘટના સ્થળે જઇ મરણ જનારનું રેલ્વે ટ્રેનમાંથી પડી જવાથી મોત નિપજેલ હોવાનું જણાયેલ.જેથી ભીલડી રેલ્વે પોલીસની હદ લાગતી હોઇ રેલ્વે પોલીસના હેડ કોંન્સ્ટેબલ ભાવેશભાઇ પટેલે સી.આર.પી.કલમ ૧૭૪ મુજબ ગુનો દાખલ કરી વાલી વારસોને જાણ કરી હતી.બાદમાં લાશનું પી.એમ.રાત્રે ડીસા સીવીલ હોસ્પિટલ ખાતે કરાવી લાશવાલી વારસોને સોપી વધુ તપાસ હાથ ધરી છે.