પાલનપુરમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી : મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાં અંગે લોકોને માર્ગદર્શન અપાયું
25 એપ્રીલને વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુરમાં મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાં માટે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરત સોલંકી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય સોલંકી અને જિલ્લા મેલેરિયા અધિકારી હરિયાણીના માર્ગદર્શન હેથળ પાલનપુરના હરીપુરા વિસ્તારમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી તેમજ પોરામાંથી મચ્છર કઈ રીતે થાય, તેના જીવનચક્ર વિશે અને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાં અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જુદી જુદી રીતે પ્રચાર પ્રસાર કરીને તેમજ ડેમો નિદર્શન કરીને સમજણ આપવામાં આવી હતી.