ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીએ એક જ દિવસમાં ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં પ્રવાસ કર્યો
સૂઇગામ,વાવ અને થરાદમાં ડો.રેખાબેન ચૌધરીને ઉમળકાભેર આવકાર સાંપડ્યો
લોકસભાની ચૂંટણીમાં દેશની ઉન્નતિ માટે ભાજપને વોટ આપવા અપીલ કરાઇ
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી ગામે ગામ ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ,પ્રચાર અને લોક સંપર્ક કરી રહ્યા છે. જેમાં બુધવારે એક સાથે વાવ, સૂઇગામ અને થરાદ મળી ત્રણ વિધાનસભા મત વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. જેમાં ગામે ગામ લોકો દ્વારા રેખાબેન ચૌધરીનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે રેખાબેને મતદારો સાથે સંવાદ કરી દેશની ઉન્નતિ માટે ભાજપને વોટ આપવા અપીલ કરી હતી.
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા બનાસ ડેરી આધ સ્થાપક સ્વ.ગલબાભાઈ પટેલની પૌત્રી ડૉ.રેખાબેન હિતેશભાઈ ચૌધરી દ્વારા રોજે રોજ વિવિધ ગામ શહેરોમાં પ્રચાર પ્રસાર અને લોક સંપર્ક કરવામા આવી રહ્યો છે. જેમાં તેમને વ્યાપક જન સમર્થન મળી રહ્યું છે. બુધવારે ડૉ .રેખાબેન ચૌધરીએ વાવ, સૂઇગામ અને થરાદ વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. જેમાં સવારે વાવના ખીમાણાવાસ જે બાદ સૂઇગામના ખડોલ, કુંભારખા, ઉચોસણ, ગરાબડી અને ધ્રેચાણા ગામે સભાઓ થકી લોક સંપર્ક કર્યા બાદ થરાદ શહેરના વોર્ડ નંબર એક અને સાતમાં સભાઓ યોજી દેશની ઉન્નતિ માટે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. ડૉ.રેખાબેન ચૌધરીના પ્રવાસમાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.