ધાણધા ગામમાં રસ્તે ચાલવા મુદ્દે મારામારી: સામસામે આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી
પાલનપુર તાલુકાના ધાણધા ગામ માં રસ્તે ચાલવાના મુદ્દે મારામારી થતા સામસામે આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી છે. પાલનપુર તાલુકાના ધાણધા ગામ માં રહેતા લક્ષ્મીબેન ખાનાભાઈ વારેચાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, હું તથા અંકિતભાઈ વારેચા, કલ્પેશભાઈ વારેચા તેમની ગાડીમાં બેસી ખેતરમાંથી ઘરે આવતા હતા તે વખતે જાહેર રસ્તા વચ્ચે પથ્થર પડેલ હોય જેથી કલ્પેશભાઈ એ ગાડીમાંથી નીચે ઉતરી રસ્તા વચ્ચેથી પથ્થર હટાવતા તે વખતે ચાર વ્યક્તિઓ આવી કહેવા લાગેલ કે અહીંથી તમોને ચાલવા ની ના પાડેલ છે. તેમ છતાં તમે અહીંથી કેમ નીકળો છો તેમ કહી ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરતા ઇજાઓ થઈ હતી તેમજ છોડાવવા વચ્ચે પડેલા વ્યક્તિઓ ને પણ માર માર્યો હતો તેમજ ગાડીને પણ નુકસાન કર્યું હતું.
જેથી રાજેશભાઈ ડાયાભાઈ નગરીયા, કમલેશભાઈ ઈશ્વરભાઈ નગરીયા, વિપુલકુમાર મૂળજી ભાઈ નગરીયા, જગદીશભાઈ નગરીયા તમામ રહે ધાણધા સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ધાણધા ગામના રાજેશકુમાર ડાયાભાઈ નગરીયા એ ફરિયાદ નોઁધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, રસ્તા બાબતે અદાવત રાખી મારા પર ગાડી હંકારી હતી જેથી કહેવા જતા આપ શબ્દો અને ભૂંડી ગાળો બોલી ચાર વ્યક્તિઓએ ધોકા અને ગડદા પાટુનો માર મારી તેમજ તેમના કાકા તેમજ તેમના કાકા ના દીકરા અને કાકી ને પણ ગરદા પાટોનો માર માર્યો હતો. જેથી કલ્પેશભાઈ બેચરભાઈ વારેચા, ખાનાભાઈ નો દીકરો જેનું નામ આવડતું નથી, મોન્ટુભાઈ બાબુભાઈ વારેચા તમામ રહે. ધાણધા તાલુકો પાલનપુર, રામાભાઇ બેચરભાઈ વારેચા રહે ઢેલાણા તા. પાલનપુર સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.