મહારાષ્ટ્રમાં મંદિર ન ખોલવા પર રાજકારણ રાજ્યપાલે ઉદ્ધવને પત્ર લખ્યો તમને દેવીય સંકેત મળ્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે છેલ્લા 6 મહાનાથી બંધ મંદિરોને લઈને હવે રાજકારણ ગરમાયું છે. મંગળવારે આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ સામસામે આવી ગયા છે. સૌથી પહેલા રાજ્યપાલ કોશ્યારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પોતાના પત્રમાં રાજ્યપાલે કહ્યું કે એક તરફ સરકારે બાર અને રેસ્ટોરન્ટ ખોલી દીધા છે, જોકે મંદિર ખોલ્યા નથી. આમ ન કરવા પર તમને કોઈ દૈવીય સંકેત મળ્યો કે અચાનકથી સર્ક્યુલર થઈ ગયો.

રાજ્યપાલના આ પત્ર પર ઉદ્ધવે ફેરવી તોડ્યું છે. તેમણે લખ્યું કે જેમ તાત્કાલિક લોકડાઉન લાગુ કરવું યોગ્ય નથી. તે રીતે તેને હટાવવું પણ યોગ્ય નથી. અને હું હિન્દુત્વને માનુ છું. મને તમારું હિન્દુત્વ માટે સર્ટિફિકેટ જોઈતું નથી.

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને આપેલા આ જવાબમાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળ ખોલવાની ચર્ચાની સાથે કોરોનાના વધતા મામલાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. મને પોતાનું હિન્દુત્વ સાબિત કરવા માટે તમારું સર્ટિફિકેટ જોઈતું નથી. જે લોકો આપણા રાજ્યની સરખામણી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(POK) સાથે કરે છે, તેમનું સ્વાગત કરવું મારા હિન્દુત્વમાં ફીટ બેસતું નથી. માત્ર મંદિર ખોલવાથી જ શું હિન્દુત્વ સાબિત થશે ?

રાજ્યના મંદિરોને ખોલવાના નિર્ણય બાબતે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિલંબને લઈને સમગ્ર મહારાષ્ટ્રના ધાર્મિક નેતાઓ અને ભક્ત શિવસેનાની આગેવાની વાળી મહાવિકાસ સમિતિ(MVA)એ સરકારની વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે થોડા કલાકો માટે આજે ઉપવાસ રાખવાનો નિર્ણય લીધો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.