![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/ધાનેરા-નગર-અને-આસપાસના-hed.jpg)
ધાનેરા ખાતે માટીના પરબ કુંડ અને ચકલીઓ માટે માટીના માળાનો વિતરણ કેમ્પ યોજાયો
લુપ્ત થતી ચકલી બચાવવા માટીના માળા અને અબોલ પક્ષીઓ માટે કાળઝાળ ગરમીમા તરસ છીપાવવા પાણી મળી રહી તે માટે માટીના કુંડાનું એજયુફન ફાઉન્ડેશન પ્રેરિત ચકલી બચાવો અભિયાન અંતર્ગત ધાનેરા ખીચડીઘર ખાતે નિશુલ્ક વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો.
ધાનેરા નગર અને આસપાસના ગામડાના પ્રકૃતિ પ્રેમીઓ ઉત્સાહ ભેર આ જીવદયા કાર્યમા જોડાયા અને ચકલીઓ માટે માળા અને કુંડા લઈને તેમાં પાણી ભરવાની જવાબદારી લીધી હતી.
અંદાજે 1230 જેટલા માટીના પરબ કુંડ અને ચકલીના માળાનું લોખંડના તાર બાંધીને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આગામી સમયમાં કુલ 4000 જેટલા કુંડા અને માળાનું વિવિધ સોસાયટી અને જીવદયા વાત્સલ્ય ધામ ખાતેથી નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. આ નિશુલ્ક વિતરણ કેમ્પમાં ધાનેરા નાયબ કલેક્ટર કે. આર. ઉનડકટ , ડૉ. યોગેશ શર્મા , તથા સેવા ભાઇ લોકો જોડાયા હતા.ફોટો સામેલ છે તસવીર, એન કે મોદી.ફોટા સામેલ છે.