સરહી વાવ સુઇગામ પંથકમાં ગરમી નો પારો આસમાને 43 ડીગ્રી તાપમાન
સરહદી રણ વિસ્તાર અને કસ્ટમ રોડ નું તાપમાન નો પારો 45 ડીગ્રી પર વન્ય જીવો નો અસ્તિત્વ જોખમ માં: સરહદી વાવ અને સુઇગામ પંથક માં એપ્રિલ ના મધ્યાનતરે ગરમી નો પારો 45 ડીગ્રી એ પહોંચી જતા વન્ય જીવો નું અસ્તિત્વ જોખમ માં મુકાઈ ગયું છે.જોકે હાલ ની તારીખ માં સરહદી રણ વિસ્તાર તેમજ કસ્ટમરોડ પર આવેલા માધપુરા મશાલી ભરડવા ચતરપુરા અસારા ચોથનેસડા લોદરાણી રાછેણા કુંડાળીયા રાઘનેસડા જેવા વિસ્તાર માં અગન ગોળા અને લુ નો પ્રકોપ વચ્ચે રણ વિસ્તાર માં વસતા મોર તીતર સસલા નીલગાય ખચ્ચર હરણ જેવા વન્ય જીવો નું અસ્તિત્વ જોખમ માં મુકાઈ ગયું છે.
નથી રણ વિસ્તાર માં પાણી કે છાયા ની સુવિધા વન વિભાગ ના રાજ્ય સરકાર તરફ થી વન્ય જીવો ના રક્ષણ માટે વૃક્ષ ના રોપા ઓ પ્લાન્ટ બનાવા માટે તેમજ પાણી ના હવાડા ઓ બનાવા માટે વર્ષે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આવે છે.જેમાં વૃક્ષ ના રોપા ઓ ની માવજત ન થતા તેનું બાળ મરણ થઈ જાય છે.ગ્રાન્ટ માત્ર કાગળ ઉપર રહી જાય છે.જ્યારે 45 ડીગ્રી તાપમાન વચ્ચે વન્ય જીવો તરફડીને મોત ને ભેટી જાય છે?આ માટે જવાબદાર કોણ?વી.આઇ. પી અધિકારી ઓ એ.સી માં બેસી હવા ખાનાર વન વિભાગ ના ઉચ્ચ અધિકારી ઓ 45 ડીગ્રી તાપમાન માં એક વખત રૂબરૂ મુલાકાત કરી વન્ય જીવો ની પોકાર સાંભળો?