![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/રૂપાલાના-વિરોધમાં-હેડ.jpg)
રૂપાલાના વિરોધમાં : કોઈપણ કાર્યકરે ઝેરડા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પ્રવેશબંધીના પોસ્ટરો લગાવ્યા
ડીસા તાલુકાના ઝેરડા ગામે ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકરે ઝેરડા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પ્રવેશબંધીના પોસ્ટરો લગાવ્યા રાજકોટ વિધાનસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજપુતો ની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોય તેના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય રાજપુત સમાજ રોષે ભરાયેલો હોય તેને લઈને આજરોજ ડીસા તાલુકાના ઝેરડા ગામ ખાતે હનુમાન મંદિર થી સમગ્ર જેરડા ગામમાં રેલી યોજી હતી અને ઝેરડા ગામમાં જવાના માર્ગ પર પ્રવેશબંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
ભાજપના કોઈપણ કાર્યકર્તા કે આગેવાનોએ ઝેરડા ગામમાં પ્રવેશ કરવો નહિ. જયાં સુધી પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ ના થાય. ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાએ થોડાક સમય પહેલા રાજપૂતો ના વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.જેના પગલે રાજપૂત સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો હતો અને રૂપાલા ની ટિકિટ રદ કરવાની રાજપૂત સમાજની લાગણી સાથે ની માંગણી હતી પરંતુ આવી લાગણીશીલ માંગણી જાણે કે ભાજપને માન્ય ના હોય તેમ હજુ સુધી રૂપાલા ની ટિકિટ રદ કરી નથી ત્યારે હવે સમગ્ર રાજપૂત સમાજ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટે લડી લેવાનામુડમાં દેખાઈ આવ્યો છે.
ત્યારે સમગ્ર ગુજરાત માં રૂપાલા ની ટિકિટ રદ કરવાના નારા લાગ્યા છે તેમજ ડીસા તાલુકા ના રાજપૂત સમાજના ગામડામાં પણ રૂપાલા ની ટિકિટ રદ ના થાય ત્યો સુધી ભાજપના કોઈ પણ કાર્યકરો એ કે આગેવાનો એ ભાજપના પ્રચાર માટે રાજપૂત સમાજના ગામડાઓમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા હતા. અત્રે ઉલખેનીય છે કે રૂપાલા નો વિરોધ સમગ્ર રાજ્યમાં નહીં પણ ભારત દેશમાં વિરોધ ના વંટોળ ફૂટે તેવી શક્યતા છે પરંતુ માત્ર એક રૂપાલાની ટિકીટ રદ કરવા માટે સરકાર આટલી કેમ સંકોચાય છે તે પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ટાઉન બન્યો છે.