![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/રજૂઆત-કરતા-હેડ.jpg)
હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા વેપારીઓ અને ખેડૂતોને પોતાના માલને સુરક્ષિત રાખવા અપીલ કરાઈ
આગામી તારીખ 12 એપ્રિલથી તારીખ 15 મી એપ્રિલ દરમિયાન હવામાન વિભાગની આગાહીના પગલે હવામાનમાં પલટો આવવાની સાથે કમોસમી માવઠું થવાની શક્યતાઓ હોય જે શક્યતાઓને ધ્યાનમાં રાખીને પાટણ માર્કેટયાર્ડ ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા માર્કેટયાર્ડ ના વેપારીઓ સહિત માર્કેટયાર્ડ માં પોતાની ખેત ઉત્પાદનની જણશો લઈને આવતાં ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે આગામી ચાર દિવસ હવામાન વિભાગ ની આગાહી ને ધ્યાનમાં રાખીને કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી હોય ત્યારે વેપારીઓ દ્વારા ખરીદ કરાયેલ જણસો અને ખેડૂતો દ્વારા વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લવાતી જણશો ને સુરક્ષિત રાખવા તાડપત્રી ઢાંકી રાખવી અને માર્કેટયાર્ડ ખાતે લવાયેલી જણશો ને સુરક્ષિત રાખવા માર્કેટ યાર્ડમાં તૈયાર કરાયેલા ઓકશનટ શેડ નો ઉપયોગ કરવા તેઓ દ્રારા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.