![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/રાજકોટના-ભાજપના-HED.jpg)
સાબરકાંઠા : ભાજપના પ્રવેશબંધીના બેનરો લાગી વિરોધ રૂપાલની ટિકિટ રદ કરવાની માંગણી કરી
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે સાબરકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાના ગામોમાં ભાજપના પ્રવેશબંધીના બેનરો લાગી વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે હિંમતનગરના નવા ગામે પણ પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે.
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ શરૂ થયો હતો. જોતજોતામાં આ વિરોધ રાજ્યભરમાં અલગ અલગ ગામોમાં પહોંચ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, ઇડર, વડાલી, હિંમતનગર, તલોદ તાલુકાના કેટલાક ગામડાઓમાં ભાજપને પ્રવેશબંધી સાથેના બેનરો લાગ્યા છે. ત્યારે હિંમતનગરના નવા ગામે નવા ક્ષત્રિય સમાજ દ્વારા બેનર લગાવવામાં આવ્યું છે. જેમાં ભાજપના કોઈ પણ કાર્યકર કે આગેવાનોએ નવા ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલની ટિકિટ રદ ના થાય ત્યાં સુધીના લખાણ સાથે બેનરો લગાવવામાં આવ્યા હતા.