14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું સંમેલન, મોટી સંખ્યમાં ક્ષત્રિયો હાજર રહે તેવી ધારણા

ગુજરાત
ગુજરાત

14 એપ્રિલે રાજકોટના રતનપર ખાતે સાંજે 4 વાગ્યે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઇ રહ્યું છે. મીડિયા અહેવાલ મુજબ રાજવી પરિવારો તેમજ રાજકીય નેતાઓને નિમંત્રણ મોકલાયા છે. પરંતુ આંદોલન સામાજિક સ્તરેથી ચાલી રહ્યું હોવાથી સ્ટેજ પર કોઇપણ રાજકીય આગેવાનને સ્થાન નહીં અપાય. કોઇ રાજકીય પરિબળની અસર વગર આંદોલન ચાલી રહ્યું છે તેવા સંદેશ સાથે આગળ વધવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

આ બેઠક બાદ સંકલન સમિતિના આગેવાન રામજુભા જાડેજાએ જાહેરાત કરી હતી કે, આગામી રવિવારે એટલે કે, 14 એપ્રિલના રોજ સાંજે 5 થી 7 દરમિયાન રાજકોટમાં ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો હાજર રહે તેવી ધારણા છે, અને જામ સાહેબને આમંત્રણ આપવામાં આવશે.

ક્ષત્રિય સંમેલનનું સ્થળ રાજકોટ-મોરબી રોડ પર રતનપર ગામ પાસે રામમંદિરની સામે રહેશે. ક્ષત્રિયો દ્વારા રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ વધી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.