રાધનપુરના જાવંત્રી ગામે શોર્ટ સર્કિટના કારણે ઘાસમાં આગ લાગી

પાટણ
પાટણ

રાધનપુરના જાવંત્રી ગામે રહેતા ખેડૂતના ખેતરમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે લાગેલી ભીષણ આગમાં બે પશુઓના મોત નીપજવાની સાથે ખેતરમાં પડેલ ઘાસચારાના પૂળા સળગીને ભસ્મિભૂત બનતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં અવાર-નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાધનપુરનાં જાવંત્રી ગામે રહેતા નરસંગભાઇ ગોવાભાઇ ચૌધરીના ખેતરના બોર પરનો ઈલેક્ટ્રીક વીજ વાયર અગમ્ય કારણોસર તૂટતા શોર્ટ સર્કિટ સર્જાવા પામી હતી અને તે આગમાં પરિવર્તિત થતા ખેતરમાં પડેલ સૂકા ઘાસના પૂળામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો પુરામાં લાગેલી આગના કારણે વાડામાં બાંધેલી એક ભેંસ અને એક પાડી પણ આગની ઝપેટમાં આવતા મોતને ભેટતા ખેડૂતને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.આ આગની ઘટનાની જાણ રાધનપુર ફાયર વિભાગને થતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.