![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/રાજ્યમાં-સ્વાઇન-hed.jpg)
રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડો, અકોટા વિસ્તારમાં વૃદ્ધાનું મોત
ગુજરાતમાં સ્વાઇન ફલૂએ ભરડો લેતાં સ્વાઇન ફલૂ અને કોરોના કેસમાં વધારો, અકોટા વિસ્તારમાં વૃદ્ધાનું સ્વાઇન ફલૂથી મોત. સ્વાઇન ફલૂના કેસોમાં વધારો થતાં મનપા એક્શનમાં આવી. વડોદરામાં સ્વાઇન ફલૂનો એક અને કોરોનાના 4 દર્દીઓના કેસ સામે આવ્યા છે.
સ્વાઇન ફ્લૂ એ એક ચેપી રોગ છે, જે છીંક, ખાંસી (ઉધરસ), સ્પર્શ વગેરે દ્વારા ફેલાય છે. તેના વાઈરસ સ્ટીલ, પ્લાસ્ટિકમાં 24થી 48 કલાક, કપડાં અને કાગળમાં આઠથી 12 કલાક, ટિશ્યુ પેપરમાં 15 મિનિટ અને હાથમાં 30 મિનિટ સુધી સક્રિય રહે છે. આ વાઈરસને ખતમ કરવા માટે ડિટરજન્ટ્સ, આલ્કોહોલ, બ્લીચ અથવા સાબુનો ઉપયોગ કરી શકાય છે.