દિયોદર તાલુકાના વડીયા ગ્રામ પંચાયતનું ત્રીજી વખત બજેટ નામંજૂર
દિયોદર તાલુકાના વડીયા ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યોના આંતરિક વિવાદના કારણે ત્રીજી વખત ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થયું છે.
આજરોજ તાલુકા વિસ્તરણ અધિકારીના માગૅદશૅન અને સરપંચના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠક મળી હતી.જેમાં ગ્રામ પંચાયત કચેરીના 11 પૈકી સરપંચ સહિત 10 સભ્યો ઉપસ્થિત રહેલ.જેમાં ત્રણ સભ્યોએ બજેટ મંજૂરીની તરફેણમાં મત આપેલ જ્યારે સાત સભ્યોએ બજેટ નામંજૂરીની તરફેણમાં રહેલ.જયારે એક સદસ્ય ગેરહાજર રહેલ .આમ ત્રીજી વખત બજેટ નામંજૂર થયેલ.આમવારંવાર ગ્રામ પંચાયતનુ બજેટ નામંજુર થતા ગામના વિકાસ કામો અટકી પડેલ.
સરપંચ પરખાજી માળીએ જણાવ્યું કે સામાજિક કે અન્ય પ્રશ્નના કારણે કેટલાક લોકોએ મને ટાગૅટ બનાવી ગામના વિકાસને અટકાવ્યો છે.જયારે ગામના મફાભાઇ માળીએ જણાવ્યું કે ગ્રામ પંચાયતમાં ભષ્ટ્રાચાર વ્યાપ્યો છે.જેની વિરૂધ્ધ આઠ સભ્યો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ અંગે જીલ્લામાં રીપોર્ટ કરવામાં આવેલ છે.