ડીસામાં સામાન્ય પ્રવેશ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજાઇ
ડીસામાં કુલ 33 સ્થળો પર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં આર્થિક રીતે મદદ મળી રહે, સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં સામાન્ય પ્રવેશ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ પાંચ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓએ અલગ અલગ સેશનમાં પરીક્ષા આપી હતી.
ડીસામાં કુલ 33 સ્થળ પર આ પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા સંચાલકો દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓની ચકાસણી કરી શુભેચ્છાઓ પાઠવી શાળામાં પ્રવેશ આપ્યો હતો. આ પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી સરકાર માન્ય શાળાઓમાં ધોરણ 6થી 12 સુધી વિદ્યાર્થીને વિનામૂલ્યે અભ્યાસ કરી શકે છે. જેથી વિદ્યાર્થીના પરિવારને પણ આર્થિક રીતે રાહત મળે છે.