પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ક્ષય રોગ (ટીબી) દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે  તા. ૨૪ માર્ચ ના રોજ વિશ્વ ક્ષય રોગ (ટીબી) દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 250થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા લોકપ્રિય ચર્ચા અને સાયન્ટિફિક-શો ના માધ્યમ થી ક્ષય રોગ, તેના લક્ષણો અને તેનાનિવારણ વિશે સહભાગીઓને સમજાવવામાં આવ્યા હતા.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે દર વર્ષે અમે ક્ષય રોગના વિનાશક આરોગ્ય, સામાજિક અને આર્થિક પરિણામો વિશે જનજાગૃતિ વધારવા અને વૈશ્વિક ક્ષય રોગચાળાને સમાપ્ત કરવાના પ્રયાસો વધારવા માટે વિશ્વ ક્ષય રોગ દિવસની ઉજવણી કરીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં પ્રદૂષિત હવાને કારણે લોકોના શ્વાસમાં ઘણી અસરો થાય છે અને ટીબી હવા દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં પસાર થઈ શકે છે, તેથી ભારતના ઘણા ભાગોમાં ટીબીનો ચેપ લાગવાની શક્યતાઓ છે. તેથી, ક્ષય રોગ થી ચેપ લાગતો અટકાવવા માટે, આપણે પ્રદૂષિત હવા વિસ્તારોમાં રહેવાનું ટાળવું જોઈએ, જોખમી ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદવો જોઈએ અને ચેપના કિસ્સામાં, વહેલા નિદાન અને યોગ્ય સારવારની પસંદગી કરવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.