![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/યુવાનોએ-20-હજારથી-વધારે-ચકલી-હેડ.jpg)
યુવાનોએ 20 હજારથી વધારે ચકલી ઘર, પાણીના કુંડા અને ચણ માટેના ફીડરનું રાહત દરે વિતરણ કર્યું
વિશ્વ ચકલી દિવસની ઉજવણી ઉંઝામાં ‘જયવીર જીવદયા ગૃપ’ના યુવાનોએ યુવાનોએ 20 હજારથી વધારે ચકલી ઘર, પાણીના કુંડા અને ચણ માટેના ફીડરનું રાહત દરે વિતરણ કર્યું
20 માર્ચ વિશ્વ ચકલી દિવસના રોજ જયવીર જીવદયા ગૃપ જેતલવાસણાના અભ્યાસ કરતા યુવાનો દ્વારા ચાલતુ ચકલી ( અબોલ જીવ ) બચાવો અભિયાન દ્વારા ઊંઝા ખાતે ચકલી ઘર તેમજ પાણીના કુંડા રાહતદરે આપવામાં આવ્યા હતા. ઘરના સભ્ય તરીકે એકદમ નિર્દોસ અને નાનકડું પક્ષી એટલે આપણી ચકલી ચકલી બચાવો અભિયાન અંતર્ગત 20 હજારથી વધારે ચકલી ઘર, પાણીના કુંડા તેમજ ચણ માટેના ફીડરનું રાહત દરે વિતરણ કરીને સારી એવી સફળતા મળી છે.
જેતલવાસણાના યશ પટેલના કહેવા પ્રમાણે શરૂઆત એક ચકલી ઘર અને એક પાણીનું કુંડુ લગાવી વર્ષ 2012માં જેતલવાસણા ગામે કરવામાં આવી હતી ત્યારબાદ સાથ સહકાર અને આજે 12 વર્ષથી સેવાકીય કામગીરી કરી ગણાબધા ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા હતા.માત્ર આજુબાજુના ગામજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તેમજ ભારતના અલગ અલગ શહેરોમાં પણ 20 હજાર જેટલા ચકલી ઘર પાણીના કુંડા અને ચણ માટેના ફીડર પાર્સલ કુરિયર તેમેજ પોસ્ટ પાર્સલ દ્વારા પણ મોકલી આપ્યા છે.ચકલી બચાવો અભિયાન સાથે તેમને ચણ આપવાનું પણ યુવાનો કાર્ય કરી રહ્યા છે.