![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/હવામાન-વિભાગ-દ્વારા-કરવામાં-હેડ.jpg)
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સંભાવના વચ્ચે શહેરીજનોને બફારાનો અનુભવ થશે
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસને પાર પહોંચે એવી શક્યતા હતી. ત્યારે માર્ચ મહિનો પૂર્ણ થવામાં હજુ 10 દિવસ બાકી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોચ્યું છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં હીટવેવની અસર પણ જોવા મળી હતી. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વર્તાય રહ્યું છે. ત્યારે આ વાદળછાયું વાતાવરણ આગામી 24 કલાક સુધી રહે એવી શક્યતા છે. ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સંભાવના વચ્ચે શહેરીજનોને બફારાનો અનુભવ થશે. આજે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની અસર રહેશે.
પાંચ દિવસ રાજ્યભરનું વાતાવરણ ગરમ રહેશે: હવામાન વિભાગના અહેવાલ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક અને ગરમ રહેશે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના ત્રણ જિલ્લામાં આગામી બે દિવસ સુધી હીટવેવની શક્યતા છે. જેમાં ગત 24 કલાક દરમિયાન રાજ્યના ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં હીટવેવની અસર રહી હતી.