પાલનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાની વ્યાપક બેઠક યોજાઈ
બેઠકમાં રામનવમી અને હનુમાન જયંતીના કાર્યક્રમોનું આયોજનની સમીક્ષા કરાઇ: પાલનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાની વ્યાપક બેઠક મળી હતી જેમાં જિલ્લા આયામ સહ અધિકારીઓની ઘોષણા કરવાની સાથે રામ નવની અને હનુમાન જયંતી ની ઉજવણી કરવાની સમીક્ષા કરવામા આવી હતી. પાલનપુરના જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાની વ્યાપક બેઠક યોજાઇ હતી. જેમાં ગઢ, વિરમપુર,જલોત્રા, અંબાજી, વડગામ, અમીરગઢ, પાલનપુર શહેર સહિત પાલનપુર તાલુકા માંથી મોટી સંખ્યામા સ્વયં સેવકો ઉપસ્થિતિ રહ્યા હતા.
આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી અને હનુમાન જયંતીનાં કાર્યક્રમોનાં આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુરના પ્રખંડ આયામ સહ નવીન અધિકારીની જવાબદારી અને જિલ્લા આયામ સહ અધિકારી ઓની ઘોષણા કરવામાં આવી હતી. આ બેઠક માં જિલ્લા અધ્યક્ષ દિલસુખભાઈ અગ્રવાલ, જિલ્લા ઉપાધ્યક્ષ શામળભાઈ ગુડોલ, જિલ્લા મંત્રી મયુરભાઈ પટેલ, જિલ્લા સહમંત્રી અરવિંદ ભાઈ પંડ્યા અને વિભાગીય મંત્રી પ્રભુદાસ મોદી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.