થરાદના છ જેટલા ગામોના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છેલ્લા 20 દિવસથી પાણી બિલકુલ મળતું નથી

બનાસકાંઠા
બનાસકાંઠા

ઇઠાટાની માઇનોર કેનાલમાં છેલ્લા 20 દિવસથી નહેરનું પાણી મળતું ન મળતાં ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી: થરાદના નાયબ કલેક્ટર કચેરીએ થરાદ તાલુકાના ઇટાટા, જમડા, પ્રતાપપુરા, લોરવાડા, ઢીમા, ભાચર સહિતના ગામોના ખેડૂતોએ કેનાલમાં પાણી 20 દિવસથી ન આવતો હોવાથી પાણી તાત્કાલિક ચાલુ કરાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

થરાદના છ જેટલા ગામોના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે, થરાદ તાલુકાના ગામોમા જતી ઇઢાતા માઇનોર કેનાલમાંથી પિયત કરવા માટે પાણી આપવામાં આવતું હતું, પણ છેલ્લા 20 દિવસથી પાણી બિલકુલ મળતું નથી અને કેનાલ અને બંધ થઈ ગયો છે. ત્યારે ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક જેવો કે વરિયાળી, અજમો, ઘઉં, ઇસબગુલ, એરંડા વગેરે પાણી વગર પાક મૂર્જાઈ રહ્યા છે અને પાણીની ખાસ જરૂરત હોવાથી છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો નહેર ઉપર રાત દિવસ પાણીની રાહ જોઈ બેસી રહ્યા છે.

પાણી વગર પાકમાં ભારે નુકસાન થઇ શકે છે ત્યારે આ બાબતે ખેડૂતોએ કેનાલના અધિકારીઓને પૂછતા જવાબ આપતા ન હોવાના પણ આક્ષેપો કર્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે એવી ખેડૂતો માગ કરી રહ્યા છે. જો કેનાલમાં પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચિમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.