આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

ગુજરાત
ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના લોકસભા વિસ્તારમાં આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અમદાવાદના ગુરુકુળ રોડ પર સુભાષ ચોક નજીક આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરીને પ્રચારનો પ્રારંભ કરશે. તેઓ મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજશે તેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. અત્યાર સુધીમાં કરેલા કામોથી કેન્દ્રીય ગૃહમંત્રીને વાકેફ કરાશે. બુથ દીઠ સોંપાયેલી કામગીરીનો રિપોર્ટ પણ રજૂ કરાશે.

નોંધનીય છેકે, ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે અમદાવાદમાં રૂ.3012 કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કર્યુ હતુ. આ કાર્યક્રમના પાંચ- છ કલાક બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આથી, ભાજપના કાર્યકરોમાં આગામી એક- બે દિવસમાં જ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા પ્રર્વતી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.