ગાયક ઓસમાણ મીરને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ, ‘મારુ મન મોર બની થનગનાટ કરે’ ગીત પર મેળવી હતી ખ્યાતિ
ગુજરાતના પ્રખ્યાત ગાયક ઓસમાણ મીરને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હી ખાતે ગાયક ઓસમાણ મીરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સંગીત કક્ષાનો રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઓસમાણ મીર ‘મારુ મન મોર બની થનગનાટ કરે’ ગીતથી ખ્યાતિ મેળવી હતી.
ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ હતું હુસેનભાઇ, જેઓ તબલાવાદક હતા. આમ સંગીત તેમને વારસામાં મળ્યું. તેમણે માત્ર 9 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.. તેમની ગાયિકીના શોખને જોઇને તેમના પિતાએ તેમને યોગ્ય ગાયિકીની તાલીમ અપાવી હતી.. ઇસ્માઇલ દાતાર તેમના ગુરુ હતા. ઓસમાણ મીરને ખરી ઓળખ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના ગીત ‘મન મોર બની થનગાટ કરે’ થી મળી.. ત્યારથી લઇ આજ સુધી તેમણે પાછુ વળીને નથી જોયું અને આજે લાખ્ખો દિલો પર પોતાના સુંદર અવાજને કારણે તેઓ રાજ કરે છે.
Tags india National Award Rakhewal