![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/પાલનપુરમાં-બ્રહ્માકુમારી-02-hed.jpg)
પાલનપુરમાં બ્રહ્માકુમારી દ્વારા શિવજીની શોભાયાત્રા યોજાઈ 11,000 રુદ્રાક્ષના 8 ફુટ ઊંચા શિવલિંગે જમાવ્યું ભારે આકર્ષણ
પાલનપુર ખાતે મહા શિવરાત્રી પર્વની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી. જેમાં સૃષ્ટિના સર્જનહાર પરમ પિતા શિવનો મહિમા દર્શાવતા મહાશિવરાત્રી પર્વે બ્રહ્મા કુમારી પરીવાર દ્રારા ભગવાન શિવની વાજતે ગાજતે શોભાયાત્રા યોજવામાં આવી હતી.
પાલનપુર ખાતે કાર્યરત બ્રહ્મા કુમારી કેન્દ્ર દ્વારા મહા શિવરાત્રી મહાપર્વની ઉજવણીના ભાગ રૂપે ભગવાન શિવની શોભા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં 11000 રુદ્રાક્ષવાળા 8 ફુટ ઊંચા શિવલિંગ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. પાલનપુરની લક્ષ્મણ ટેકરીથી નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. જેનું બહ્માકુમારી કેન્દ્ર આકેસણ રોડ ખાતે સમાપન થયું હતું. ભગવાન શિવજીની શોભાયાત્રાનું ઠેરઠેર ભાવિક ભક્તો દ્વારા સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી ભાઈ-બહેનો સાથે શિવ ભક્તો જોડાયા હતા.