![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/અંબાજી-મંદિરમાં-13-લાખ-રૂપિયાના-સોનાનું-01-હેડ.jpg)
મુંબઈના માઈભક્તે 200 ગ્રામ સોનું અંબાજી મંદિરમા દાન કર્યું
અંબાજી મંદિરમાં 13 લાખ રૂપિયાના સોનાનું ગુપ્તદાન:મંદિરના સુવર્ણમય શિખરની કામગીરી માટે મુંબઈના માઈભક્તે 200 ગ્રામ સોનું અંબાજી મંદિરમા દાન કર્યું શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે. એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે.
આજે પવિત્ર શિવરાત્રીના દિવસે મા અંબાના એક માઇભક્ત દ્વારા સોનાનું દાન અંબાજી મંદિરમાં આપવામાં આવ્યું હતું. આજે સોનાની 2 નંગ લગડી જેનું વજન 200 ગ્રામ હતું અને જેની કિંમત 13,00,000 છે. તે એક મુંબઈના માઈભક્તે અંબાજી મંદિરમાં દાન કર્યું છે. અનેકો ભક્તો મા અંબાના મંદિરને સવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે આજે પણ મા અંબાના એક માઇભક્તે 200 ગ્રામ સોનાનું દાન કર્યું હતું અને પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો.