![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/વિકસિત-ભારત-સંકલ્પ-પત્ર-hed.jpg)
વિકસિત ભારત સંકલ્પ પત્ર- મોદી કી ગેરંટી અંતર્ગત પાલનપુરમાં ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ
સરકારે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું તેના કરતાં બમણું કામ કર્યું છે મંત્રી બલવંતસિંહ રાજપૂત: લોકસભાની ચુંટણીને લઈને ભાજપ બનાસકાંઠા જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ ધપાવી રહયુ છે. ત્યારે પાલનપુર ખાતે “વિકસિત ભારત સંકલ્પ પત્ર-મોદી કી ગેરંટી” અંતર્ગત ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ બુથ સ્તરે, ઘરે-ઘરે જન સંપર્ક કરી, જનતાના સૂચન એકત્રિત કરી તેના આધારે ભાજપ નું સંકલ્પ પત્ર તૈયાર કરાશે.
મંત્રીએ છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે તેમજ મોદીની ગેરંટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસદ પરબત ભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.