આજે જ નિપટાવી લો બધા જ જરૂરી કામ, હવે 3 દિવસ બંધ રહેશે બેન્ક અને શેરબજાર
બેંકો અને શેરબજારોમાં આ અઠવાડિયે લાંબી વીકેન્ડની રજા રહેવાની છે. જી હા, આજથી 3 દિવસ બેંક અને શેરબજાર બંધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંકને લગતું કોઈ કામ હોય અથવા તમારે શેરબજારમાં આ સપ્તાહનો નફો વસૂલ કરવો હોય, તો આ કામ આજે જ પૂર્ણ કરો. હવે સોમવારે બેંક અને શેરબજાર બંને ખુલશે.
વાસ્તવમાં, મહાશિવરાત્રીનો તહેવાર એટલે કે 8 માર્ચ શુક્રવારે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની બેંક હોલીડે લિસ્ટ મુજબ, આ દિવસે દેશના ઘણા વિસ્તારોમાં બેંક રજા રહેશે. આ પછી, 9મીએ મહિનાનો બીજો શનિવાર છે, તેથી તે રજા છે. 10 માર્ચ, રવિવારના રોજ પણ રજા છે.
આ ઉપરાંત નેશનલ સ્ટોક એક્સચેન્જની રજાઓની યાદીમાં મહાશિવરાત્રીને રજા તરીકે નક્કી કરવામાં આવી છે. આ કારણે તે દિવસે શેરબજારમાં કોઈ કામ નહીં થાય. જ્યારે શનિવાર અને રવિવારે શેરબજાર સાપ્તાહિક બંધ રહે છે. આ રીતે, મહાશિવરાત્રીના કારણે બેંકો અને શેરબજારોમાં ત્રણ દિવસનો લાંબો વીકએન્ડ રહેશે.
આ રાજ્યોમાં બેંકો બંધ રહેશે
RBIની રજાઓની યાદી અનુસાર દેશના ઘણા રાજ્યોમાં 8મી માર્ચે રજા રહેશે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ અને કાશ્મીર, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
શિવરાત્રીનો તહેવાર ભગવાન શિવના લગ્ન તિથિ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા.