સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા ૩૦૫ કરોડના ખર્ચે ૧૪૫ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું

પાટણ
પાટણ

સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા: સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા રૂપિયા 305.03 કરોડના કુલ ૧૪૫ જેટલા કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયું.

જેમાં વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન રાજ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચાયત સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન પંચાયત વિભાગ, જિલ્લા આયોજન અધિકારીની કચેરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, વિભાગીય નિયામક એસ.ટી મહેસાણા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અનેકવિધ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ  રાજપૂત, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશભાઈ રાજગુરુ, સદસ્ય અંકુરભાઈ મારફતિયા, એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ,  સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.