![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/થરાદના-પૂર્વ-ધારાસભ્યે-01.jpg)
થરાદના પૂર્વ ધારાસભ્યે કોંગ્રેસમાંથી રાજીનામાની વાત ફગાવી
હું વર્ષોથી કોંગ્રેસ સાથે જ છું ગુલાબસિંહ રાજપૂત: બનાસકાંઠા જિલ્લાના થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસમાંથી રાજીનામુ આપે તેવા સમાચાર સોશ્યલ મીડિયામાં વહેતા થતાં આજરોજ તેમણે નિવેદન આપી જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટી સાથે છું અને લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે મીડિયામાં મારા રાજીનામા અંગેની વાત પાયા વિહોણી છે. હું વર્ષોથી કોંગ્રેસ સાથે છું અને તાલુકાના 52 હજાર લોકો મારી સાથે છે. હું ક્યાંય જવાનો નથી. પરંતુ
લોકસભાની ચૂંટણીમાં માહોલ બગાડવા અમૂક લોકોએ મારા નામની ચર્ચા કરી હતી પરંતુ મીડિયાને પણ કહેવા માંગુ છું કે પૂછ્યાં વગર પાયા વિહોણી વાત પ્રસારવી એ ખોટું છે.હવે ક્યાંય પણ મારા નામની કોઈ વાત થશે તો કાયદેસરની કાર્યવાહી કરીશ.બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મોટા વોટોથી જીતવા જઇ રહી છે. ત્યારે અમુક લોકોએ જાણી જોઈને આ વાત ચલાવી હોય એવું લાગી રહ્યું છે. મારા પરીવાર પર આ વિસ્તારના લોકોએ વિશ્વાસ મૂક્યો છે. ત્યારે આ વિશ્વાસને તોડવાનો કોઈ પ્રશ્ન થતો નથી. આ સમાચારથી ગામડાઓમાં બેઠેલા નાનામાં નાના લોકોને દુઃખ થયું છે. બધાં કાર્યકરોને કહું છું કે આ ભાજપવાળા ગમે તેવી અફવા ફેલાવે પણ 2024 ની લોકસભાની ચૂંટણી આપણે જીતવાની છે.