![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/હું-જીવું-છું-ત્યાં-સુધી-કોંગ્રેસ-હેડ.jpg)
હું જીવું છું ત્યાં સુધી કોંગ્રેસ નહીં છોડું, મહિલા ધારાસભ્ય સરકાર સામે લડત આપી છે, અને હજી પણ આપતી રહીશ
હું જીવું છું ત્યાં સુધી કોંગ્રેસ નહીં છોડું મહિલા ધારાસભ્ય: લોકસભાની ચૂંટણી પૂર્વે આગેવાનો ભાજપમાં જોડાવા મુદ્દે મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, ભાજપની ખોટા કેસમાં ફસાવવાની ધમકીના પગલે સ્વાર્થી લોકો પાર્ટી છોડી રહ્યા છે પણ હું છેલ્લા 20 વર્ષથી કહું છું કે હું જીવું ને જાગુ ત્યાં સુધી કોંગ્રેસ છોડવાની નથી.લોકોના મુદ્દા માટે કે એમના અન્યાય માટે સૌથી વધારે મેં સરકાર સામે લડત આપી છે અને હજી પણ આપતી રહીશ. લોકસભા લડવાની વાત મુદ્દે ગેનીબેને જણાવ્યું કે, હું અત્યારે ધારાસભ્ય તરીકે છું, પરંતુ જો પાર્ટી કહેશે તો હું જરૂરથી લોકસભાની ચૂંટણી લડીશ.
ભાજપે બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ. ગલબાભાઇના પૌત્રી ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે, એ અંગે વાત કરતાં ગેનીબેને જણાવ્યું કે, સ્વ. ગલબાભાઇએ ડેરીની સ્થાપના કરી એ કોઇ એક સમાજ માટે નથી કરી, એ તમામ સમાજ માટે છે અને પશુપાલકો મજૂરી કરીને દુધ ભરાવે છે. ડેરીના સંચાલકોનું પુરુ પશુપાલકો કરે છે, પશુપાલકોનું સંચાલકો નથી કરતાં અને એમાં કોઇની મહેરબાની નથી.