પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પરના અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

સંદેશખાલીમાં ઉત્પીડનનો ભોગ બનનારી મહિલાઓને ન્યાય આપવાની માંગ: પશ્ચિમ બંગાળના સંદેસખાલીમાં મહિલાઓ પરના અત્યાચાર સામે વિરોધ પ્રદર્શિત કરતા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં તૃણુમલ કોંગ્રેસ ની સરકારમાં સંદેશખાલીમાં મહિલાઓ પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે પાલનપુર ખાતે જન જાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા મહિલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બાદમાં નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. જેમાં મહિલા ઉત્પીડનનો ભોગ બનેલી મહિલાઓને ન્યાય આપવાની માંગ સાથે કસૂરવાર તૃણુંમલ કોંગ્રેસના નેતા સહિતના લોકો સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.