![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/આંતરરાષ્ટ્રીય-હિન્દુ-પરિષદના-01-hed.jpg)
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ ડીસાની મુલાકાત લીધી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડીસાની મુલાકાતે: દેશમાં એક લાખ કેન્દ્ર પર સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ અભિયાન શરૂ; ‘આગામી ચૂંટણીમાં ફરી હિન્દુત્વ જીતશે’ : ડૉ. પ્રવીણ તોગડિયા દેશમા એક લાખ કેન્દ્ર પર સાપ્તાહિક હનુમાન ચાલીસા કેન્દ્ર અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ ડીસાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે આગામી ચૂંટણીમાં ફરી ભગવો લહેરાશે તેમ જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ: રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વીની અને રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા દેશમાં સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને તેના માટે દેશમાં એક લાખ જેટલા કેન્દ્ર શરૂ કરી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ડૉ. અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજે ડીસાની મુલાકાતે આવ્યા હતા. તેમના સ્વાગત માટે અલગ અલગ હિંદુ સંગઠનના આગેવાનોએ ફૂલહાર, પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ હિન્દુ ધર્મશાળા ખાતે બેઠક યોજાઇ હતી.
આ અંગે ડૉ. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું: કે, દેશમાં એક લાખ જગ્યાએ સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર શરૂ કરાયા છે. ડીસામાં પણ 54 જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ થઈ રહ્યા છે. જે રીતે ગામના વિકાસ માટે ટીડીઓ અને ડીડીઓ હોય છે તે રીતે હિન્દુત્વના વિકાસ માટે હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર ડેવલપમેન્ટ ઓફિસર હશે. જે ગરીબોને અનાજ આપશે, બાળકોનું ટેલેન્ટ વધારશે, શિક્ષણમાં મદદ કરશે અને રોજગારી માટે પણ મદદ કરશે. આ સિવાય તેમણે આગામી ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે દેશમાં હિંદુત્વ હી જીતેગા ભગવો જ લહેરાશે.