![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/24b2d15a-457e-4c9d-bac4-e26605483711-1.jpg)
થરા- રાધનપુર હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘુસતા ૧ નું મોત
કોરોના મહામારી અને અનલોકમાં મળેલી વધુ પડતી છૂટ વચ્ચે માર્ગ અકસ્માતોની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. સોમવારે સવારે થરા-રાધનપુર નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત થયું છે. પેટ્રોલપંપ નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઇ આસપાસના લોકો એકઠા ગઇ ગયા હતા. આ તરફ થરા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના થરા-રાધનપુર નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. થરાના રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ટ્રકની પાછળ કારચાલક ઘુસી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં રાજસ્થાનના કાર ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ છે. આ તરફ પોલીસે મૃતકની લાશને થરા રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.