રાણકીવાવ પરિસરમાં બે દિવસીય સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાશે

પાટણ
પાટણ

આગામી ત્રણ માર્ચને રવિવારના રોજ પાટણ શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ અને પાટણ નગર પાલિકા સહિત પાટણ સ્થાપના દિન ઉત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે પાટણ સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષમાં રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ પરિસર ખાતે પણ બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમને લઈને હાલમાં રાણકીવાવ પરિસરને રોશનીથી શણગારવાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ પાટણના અધિકારી બાબુજી ઠાકોરે જણાવ્યું હતું.


ત્રણ માર્ચને રવિવારના રોજ પાટણના સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષમાં રાણકીવાવ પરિસર ખાતે તા. 3 ને રવિવારે રાત્રે આયોજિત સાસ્કૃતિક કાર્યક્રમમાં માયાભાઈ આહીર અને તા. 4 માચૅ ને સોમવારે રાત્રે પ્રહર વોરા અને તેમનો કલાવૃદ ઉપસ્થિત રહેનારા હોય જે સાસ્કૃતિક કાર્યક્રમ ના આયોજન ને લઇ હાલમાં રાણકીવાવ પરિસર ખાતે તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.