કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે શ્રી હિંગળાજ માતાજી ની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી
કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે તારીખ 27-28-29-42 ગામ વાઘેલા જાગીરદાર પરિવાર વાઘેલા રાજપૂતો ની કુળદેવી માં હિંગળાજ ની પ્રાણ પ્રતીષ્ઠા યોજાઈ હતી જેમાં ગામ ના સ્વયં સેવક મનહરસિંહ એ જણાવ્યું કે માં ભવાની માતાનું મુખ્ય સ્થાનક પાકિસ્તાન માં હિંગોલ નદી ના કિનારે હિંગુલા પર્વત પર બિરાજે છે દેવદરબાર જાગીર મઠ ના ૧૦૦૮ મહંત શ્રી બળદેવનાથ બાપુ ના વરદહસ્તે સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી
જેમાં યજ્ઞ શાળા ના આચાર્ય શ્રી વિજયકુમાર સોમાલાલ (ભલગામ) દ્વારા સુંદર રીતે પૂજા આરતી કરી વૈદિક મંત્રોચાર સાથે પંડિતો અને યજમાનો દ્વારા જવ તલ ઘી ની આહુતિ આપી ને હોમ હવન કરવામાં આવ્યા હતા ત્યારે વાઘેલા રાજવંશ ની કુળદેવી શ્રી માં હિંગળાજ માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા અને જય માં હિંગળાજ માતાજી ના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં રાણકપુર ગામના સરપંચ સહિત અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે આવનાર મહેમાનો અને સામાજિક અને રાજકીય આગેવાનો સહિત તેમજ મીડિયા કાંકરેજ પત્રકાર મિત્રોનું પણ ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર દીપક જોષી એ કર્યું હતું