મુંબઈના આઝાદ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ, એકનું મોત, અનેક ઘાયલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઈને અડીને આવેલા મીરા રોડ પર ગોલ્ડન નેસ્ટ નજીક આઝાદ નગર ઝૂંપડપટ્ટીમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટના આજે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. આ આગમાં અનેક ઝૂંપડપટ્ટીઓ અને મકાનો બળીને ખાખ થઈ ગયા છે. ફાયર બ્રિગેડની 24 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આગ કાબૂ બહાર ગઈ છે. આગ બુઝાવવા દરમિયાન ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થયો હતો અને તેને સારવાર આપવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમનું કહેવું છે કે ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ હાજર

પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે આગમાં કેટલાક લોકો ઘાયલ થયાની આશંકા છે. મીરા રોડ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, ઝૂંપડપટ્ટીમાં ભડકતી આગને કાબૂમાં લેવા માટે કુલ 24 ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC) કમિશનર સંજય કાટકરે, જેઓ સ્થળ પર બચાવ અને રાહત કાર્યની દેખરેખ રાખી રહ્યા છે, તેમને જણાવ્યું હતું કે, “મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશન આગ પર કાબૂ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. ફાયર બ્રિગેડની કુલ 24 ટીમો ઘટનાસ્થળે છે.

કાટકરે જણાવ્યું હતું કે ઝૂંપડીઓમાં રહેતા લોકો અને વિસ્તારના અન્ય રહેવાસીઓ આગ પછી તેમના ઘરોમાંથી ભાગી ગયા છે. તેમણે કહ્યું કે સ્લમ કોલોનીમાં ઘણી કોમર્શિયલ સંસ્થાઓ, ઘરો તેમજ દુકાનો છે, જેને નુકસાન થવાની સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.