![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/fv.png)
દેશમાં નવા વાયરસ પ્રકોપ, કર્ણાટકમાં મંકી ફિવરે વધારી લોકોની ચિંતા
કર્ણાટકમાં મંકી ફીવરે લોકોની ચિંતા વધારી છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. આ મહિનાની 25મી તારીખ સુધી 5 હજાર લોકોની તપાસ કરવામાં આવી હતી અને 120 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેને લઈને તંત્ર એલર્ટ થયુ છે. ટેસ્ટની સંખ્યા વધારવા, જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મંકી ફીવરના સંપર્કમાં આવ્યાના 3થી 8 દિવસ પછી શરદી, તાવ, માથાનો દુ:ખાવો, સ્નાયુઓમાં દુ:ખાવો જેવા લક્ષણો દેખાય છે.
કોરોના મહામારી બાદ આવા અનેક વાયરલ રોગો સામે આવી રહ્યા છે જે લોકો માટે ડરામણી અને ઘાતક સાબિત થઈ રહ્યા છે. આવો જ બીજો એક ચેપી રોગ છે, જેનું નામ છે ‘મંકી ફીવર’. કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં ‘મંકી ફીવર’ તરીકે જાણીતા ક્યાસનૂર ફોરેસ્ટ ડિસીઝ (KFD)ને કારણે 57 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે.
તાજેતરના ચેપને કારણે ત્રણ લોકોના મોત થયા હતા, જેના કારણે મૃત્યુઆંક હવે વધીને 5 થઈ ગયો છે. જો કે, મૃતકોનો આ આંકડો આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીનો છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આ કારણે થઈ રહેલા મૃત્યુને કારણે લોકોમાં ભયનો માહોલ છે.
Tags india monkey fiver rakhewall