પાણીના ભેજના કારણે જીરાના પાકમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો
(રખેવાળ ન્યૂઝ અહેવાલ વિષ્ણુ પરમાર વાવ)
સુઇગામ તાલુકામાં રવિ સિઝનમાં ઠેર-ઠેર રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જોકે આ બાબતે મમાણા ગામના તાલુકા પંચાયત સુઇગામના સદસ્ય દિગપાલ દાનજી ગઢવી એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે એક તરફ ખેડૂતો એ મોંઘા ભાવ નું ખાતર અને બિયારણ દવાઓ લાવી જીરાના પાકનું વાવેતર કર્યું છે.તો બીજી તરફ માવઠાનો મારો પણ સતાવી રહ્યો છે.તો વળી ત્રીજી તરફ મમાણા ગામની 100થી વધુ હેકટર જમીન માં વાવેલ જીરાના પાકમાં નર્મદા કેનાલમાં રહેલ પાણીના ભેજના કારણે જીરાના પાકમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવતા મમાણા ગામના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાની નોબત આવી છે…આ બાબતે રાજ્ય સરકાર ગંભીરતા દાખવે તેજ ખેડૂતોના હિતમાં છે.