ભાભરને રેલ્વે સ્ટોપેજ આપવા આવે જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ આપવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન ચીમકી ઉચ્ચારી

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભરના નગરજનોએ રેલ્વે સ્ટોપેજ આપવા ગુરુવારે રેલવે સ્ટેશન માસ્તર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ નહીં આપવામાં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ભાભર શહેરમાંથી વેપારીઓ તેમજ વાવ, સુઈગામ તાલુકાના લોકોને મુંબઈ, સુરત, અમદાવાદ, કચ્છ, ભુજ સહિત ધંધા અર્થે જતાં હોય છે. ત્યારે ભાભરમાં આવેલ રેલ્વે સ્ટેશન આધુનિક બનાવ્યું છે. અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ-પાલનપુર લોકલ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેમજ ભુજ-બરેલી, ભુજ-બાંદ્રા, ભુજ-અમદાવાદ, પાલનપુર-ભુજ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈપણ ટ્રેનોને સ્ટોપેજ ભાભરમાં મળ્યું નથી. આ બાબતે ભાભરના નગરજનો દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો દ્વારા લેખીતમાં રજુઆત કરવા છતાં ભાભરને સ્ટોપેજ ના મળતાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને પણ રજૂઆત કરાઇ હતી. આ બાબતે પરબતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખીને રજૂઆત કરવા છતાં માંગ ના સંતોષાતા વેપારીઓ તેમજ નગરજનોમાં રોષ ફેલાયો હતો. અને ભાભર મામલતદાર તેમજ રેલ્વે સ્ટેશન માસ્તરને ગુરુવારે આવેદન પત્ર આપી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેમાં ભાભરને ભાભરમાંથી પ્રસાર થતી પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ ના મળે તો 4 માર્ચ સુધી તંત્ર દ્વારા યોગ્ય નહિ કરવામાં આવે તો 5 માર્ચ-2024 ના ટ્રેન રોકો આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આમ ભાભરમાં કેટલાય સમયથી ટ્રેનોને સ્ટોપેજનો મુદ્દો ચાલે છે. ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે છે ત્યારે નેતાઓ વાયદા કરીને હથેળીમાં ચાંદ બતાવીને જતાં રહે છે. ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાંની ત્યાં રહી જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.