![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/આગામી-સમયમાં-હેડ.jpg)
માત્ર ત્રણ હજાર રૂપિયાની લેતી દેતી બાબતે નિર્મમ હત્યા કરાઈ આરોપીને કડકમાં કડક સજા થાય એવી માગ સાથે આવેદનપત્ર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ગત સપ્તાહે ભોઈ સમાજના યુવક સાથે વિધાર્મીઓએ સામાન્ય 3000 રૂપિયા જેવી લેવડ દેવડ બાબતે હિંસક સ્વરુપ આપ્યો હતો. ત્યાર બાદ આવી હીંચકારી ઘટનાને લઈ ચારે તરફ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.
ગત સપ્તાહે પ્રાંતિજ કજતે રાકેશ ભાઈ રાઠોડ નામના ભોઈ સમાજના યુવકની વિધાર્મીઓ દ્વારા માત્ર 3000 રૂપિયાની લેતી દેતી બાબતે નિર્મમ હત્યા કરાઈ હતી. જેને લઈને સમગ્ર ગુજરાતના ભોઈ સમાજ ક્રાંતિદલ દ્વાર આખા ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભોઈ સમાજ દ્વારા પ્રાંતિજની ઘટના બાબતે પરિવારજનોને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય એવી માગ સાથે અરવલ્લી જિલ્લા ભોઈ સમાજના અગ્રણીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું.