![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/opoyi_3u2CAgoZi-1.jpg)
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ દસ્તાવેજોનો નાશ નહીં થાય : ચેરમેન ઊંઝા માર્કેટયાર્ડના સંચાલક મંડળની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
સેસ કાંડના વિવાદો વચ્ચે ઊંઝા માર્કેટયાર્ડના સંચાલક મંડળની મળેલી બોર્ડની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. એટલું જ નહીં બોર્ડની બેઠકમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજો કથિત આક્ષેપોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાશ ન કરવાની ચેરમેન દ્વારા જાહેરાત કરાઇ હતી.
શનિવારે ઊંઝા માર્કેટયાર્ડની બોર્ડની બેઠક મળી હતી આ બેઠકમાં સંજય (ઉર્ફે શંકર) પટેલ, ચંદુભાઈ અને ધમા મિલનના ભાભી એવા નગરપાલિકા પ્રતિનિધિ મીનાબેન પટેલ દ્વારા પુરાવાઓનો નાશ કરવા અંગે વાંધા અરજી આપવામાં આવે તે પહેલાં જ ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા કથિત કૌભાંડની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પ્રકારના દસ્તાવેજોનો નાશ ન કરવાની જાહેરાત કરાઈ હતી.
અત્રે નોંધનીય છે કે સમયે સમયે વેપારીઓના બિન જરૂરી દસ્તાવેજના નાશ કરવા માટેની માર્કેટયાર્ડને સત્તા આપવામાં આવેલી હોય છે.ઊંઝા માર્કેટયાર્ડના કર્મચારી સૌમિલ પટેલે ૧૫ કરોડના સેસ કૌભાંડનો આક્ષેપ કર્યા બાદ રજિસ્ટ્રાર દ્વારા આ કથિત આક્ષેપોની તપાસ હાલમાં ચાલી રહી છે ત્યારે તપાસ દરમ્યાન કોઈ પણ રેકર્ડ નાશ ન કરવાનો નિર્ણય લઈને ચેરમેન અને સેક્રેટરીએ પોતાની સ્વચ્છ વહીવટીય છાપ રજૂ કરી છે.જો કે દસ્તાવેજોનો નાશ ન કરવાનો નિર્ણય એ માર્કેટયાર્ડના વિરુદ્ધ અપપ્રચાર કરનારાઓ સામે લપડાક સમાન છે. તેવું ચેરમેને જણાવ્યું હતું.
Tags Banaskantha corona Deesa Gujarat